Friday, December 30, 2011

૭ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ત્રીજી ગોળમેજી પરિષદમાં જવા બાબાસાહેબ ઈગ્લેન્ડ ઉપડ્યા ૧૯૩૨

મને ખાતરી છે કે જેઓ સેનેટમાં ચૂંટાશે તેઓ ઉપલા વર્ગમાંથી હશે અને તેઓ શિક્ષણ માટેની માગણી કરનારા પછાત વર્ગોની વહારે કદીય થાશે નહિં.

૬ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



દલિતોની જમીન છીનવતી હૈદરાબાદ સરકાર, ૧૭૦૦ દલિતોની ઘરપકડ ૧૯૫૩

મારી તપાસ અને મારા અનુભવોના આધારે મને જણાયું છે કે શિષ્યવૃત્તિઓ આપવાની રીત ખરેખર જાહેર નાણાનો બગાડ જ છે. દલિતવર્ગના વાલીઓ એટલા બધા ગરીબ અને અજ્ઞાની છે કે, તેઓ એ સમજી શકતા નથી કે સરકાર ધ્વારા અપાતી મદદ ખરેખર તો બાળકના શિક્ષણ માટેની મદદ છે. માતા-પિતા તો શિષ્યવૃત્તિને તેમના ખર્ચાને પહોંચી વળવા માટેની કુટુંબ સહાય તરીકે જુએ છે.

૫ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



જાગીરદારી નાબૂદી માટે કામાઠીપુરા, મુંબઈમાં ૫૦૦૦ મહારોની સભા ૧૯૨૭

આ બજેટ મારા માટે ધનિક આદમીનું બજેટ છે. એ ગરીબ આદમીનું બજેટ નથી. ગરીબ આદમી વધુને વધુ માગતો હોય છે. ધનિક માનવીને સરકારથી સ્વતંત્ર રહેવાનું પોસાતું હોય છે.

૪ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ગુજરાત મેધવાળ સમાજ તરફથી બાબાસાહેબનું સન્માન ૧૯૩૨
બંધારણસભા સમક્ષ બંધારણનો મુસદ્દો રજૂ કર્યો ૧૯૪૮

putsives



ગોધરામાં વાલ્મિકી સમાજનું પ્રથમ સંમેલન ૧૯૧૭

જે સરકારમાં સહેજ પણ સચ્ચાઈ બચી હોય, તેવી સરકાર ગરીબ વર્ગોને એવું નહીં કહી શકે કે કરવેરા વસૂલ કરવાની પોતાની શક્તિ નથી તે કારણસર પોતે આ સુખસગવડોની જોગવાઈ નહીં કરી શકે. આવી સરકાર તો જેટલી વહેલી પદભ્રષ્ટ થાય તેટલી સૌને વહેલી નિરાંત.

૧ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



હું અત્યંત ભારપૂર્વક કહેવા માંગું છું કે આ પછાત કોમોને સેનેટમાં પ્રતિનિધિત્વ આપવા માટે જોગવાઈ કરવામાં નહિં આવે ત્યાં સુધી, આ વિધેયકની અમારે મન કોઈ જ કિંમત નથી અને હું મારા પૂરતું તેની વિરૂધ્ધ મતદાન કરીશ.

Thursday, December 29, 2011

૩૦ ઓક્ટોબર - ત્રીજો પક્ષ





























હોમી જહાંગીર ભાભા જંયતી ૧૯૦૯

તમામ રાજકીય સમાજો બે વર્ગોમાં વહેંચાયેલા છે. શાસક અને શાસિત. આ એક અનિષ્ટ છે. જો અનિષ્ટ અહીં જ રોકાઈ જાય તો વાંધો નથી, પરંતુ કમનસીબે આ ભેદભાવ એટલો બધો દ્રઢ અને સ્વીકૃત થઈ જાય છે કે શાસકો હંમેશા શાસક વર્ગમાંથી આવે છે અને શાસિતો ક્યારેય શાસક બનતા નથી.