Friday, December 30, 2011

૨૬ ડિસેમ્બર - ગાંધીવાદ




બેલગામ મ્યુનિસિપાલિટી ધ્વારા બાબાસાહેબનો સત્કાર ૧૯૩૯

ગરીબી બીજા કોઈ માટે નહિ પણ શુદ્રો માટે સારી છે તેવો બોધ આપવો, ઝાડુવાળાનું કામ બીજા કોઈ માટે નહિં પણ અસ્પૃશ્યો માટે સારું છે તેવો બોધ આપવો અને આ ત્રાસદાયક ફરજને જીવનના સ્વૈચ્છિક હેતુઓ તરીકે તેમની પાસે સ્વીકાર કરાવવો અને તેવું કરાવવામાં તેમની નિષ્ફળતાને વિનંતી કરવી તે આ લાચાર વર્ગનું અપમાન નથી? તેમની ક્રૂર મશ્કરી નથી ? અને આ બધું નિર્ભયતાપૂર્વક અને સ્થિર ચિત્તે બીજું કોઈ નહીં પણ શ્રી ગાંધી જ કરી શકે.

૩૧ ડિસેમ્બર - ગાંધીવાદ




ગુજરાતમાં અનામત બેઠકો નાબૂદ કરવા જમણેરી અંતિમવાદી આંદોલનકારીઓનું સરકારને આવેદનપત્ર, હિંદુ ફાસીવાદની પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ૧૯૮૧

ગાંધીવાદે જે કૈં બધું કર્યું છે તે હિંદુ ધર્મ અને તેના સિધ્ધાંતોને તાત્વિક રૂપે ઠરાવવા કર્યું છે. હિન્દુ ધર્મને ઢાંકી શકાય એમ નથી. એ અર્થમાં કે તે માત્ર નિયમોના એક ચોકઠા જેવો છે, જેના ચહેરા પર એક ઘાતકી અને અણઘડ વ્યવસ્થાની છાપ ઉપસેલી છે. ગાંધીવાદ તેને એક એવું તત્વચિંતન પૂરું પાડે છે, જે તેની સપાટીને સુંવાળી બનાવે છે; તેને સૌજન્ય અને આદર અર્પણ કરે છે અને આમ તેને બદલે છે એટલું જ નહિં પણ તે આકર્ષક લાગે તેમ તેને શણગારે છે.

૩૦ ડિસેમ્બર - ગાંધીવાદ




પંઢરપુરમાં સોલાપુર જિલ્લા દલિત પરિષદમાં ૧૯૩૭
મુંબઈમાં આઠમી રાષ્ટ્રીય સામાજિક પરિષદમાં સયાજીરાવનું ઉદઘાટકીય ભાષણ ૧૯૦૪

૨૯ ડિસેમ્બર - ગાંધીવાદ



રૂઢિચુસ્ત હિંદુ ધર્મમાં ન જડે તેવું ગાંધીવાદમાં શું છે? હિંદુ ધર્મમાં જ્ઞાતિપ્રથા છે, ગાંધીવાદમાં જ્ઞાતિપ્રથા છે. હિંદુ ધર્મ આનુવંશિક વ્યવસાયમાં માને છે કે તે રીતે ગાંધીવાદ પણ માને છે, હિંદુ ધર્મ આ દુનિયામાંની માનવીની સ્થિતિ અંગે પૂર્વ નિયતિરૂપે કર્મના સિધ્ધાંતને પુષ્ટિ આપે છે, ગાંધીવાદ પણ તેને પુષ્ટિ આપે છે. હિંદુ ધર્મ શાસ્ત્રની સત્તા સ્વીકારે છે, ગાંધીવાદ પણ સ્વીકારે છે. હિંદુ ધર્મ ઇશ્વરના અવતારોમાં માને છે અને ગાંધીવાદ પણ માને છે. હિંદુ ધર્મ મૂર્તિપૂજામાં માને છે. તે જ પ્રમાણે ગાંધીવાદ પણ માને છે.

૨૮ ડિસેમ્બર - ગાંધીવાદ


















બીજી ગોળમેજી પરિષદથી પાછા ફરેલાં ગાંધી સામે મુંબઈ બંદરે ૮૦૦૦ અસ્પૃશ્ય સ્ત્રી-પુરૂષોએ બતાવ્યા કાળા વાવટા ૧૯૩૧
પાકિસ્તાન અથવા ભારતના ભાગલા ગ્રંથ ૧૯૪૦

ગાંધીવાદ પ્રમાણે અસ્પૃશ્યો કાયદો ભણી શકે, તબીબી વિધા શીખી શકે, એન્જિનિયરીંગ અથવા તેમને જે કૈં ગમે તેનો અભ્યાસ કરી શકે. આ સારું છે, પણ તેમના જ્ઞાન અને વિધાનો ઉપયોગ કરવા અસ્પૃશ્યો શું સ્વતંત્ર હશે?

૨૭ ડિસેમ્બર - ગાંધીવાદ




જો કોઈ વાદ એવો હોય કે, જેણે લોકોએ જૂઠી સલામતીમાં ઊંઘાડી દેવામાં ધર્મનો અફીણ તરીકે ઉપયોગ કર્યો હોય તો તે ગાંધીવાદ છે. શેક્સપિયરને અનુસરીને કોઈ કહી શકે: ‘ડાહી ડાહી વાતો, કરામતો, તારું નામ ગાંધીવાદ...’

૨૬ ડિસેમ્બર - ગાંધીવાદ




બેલગામ મ્યુનિસિપાલિટી ધ્વારા બાબાસાહેબનો સત્કાર ૧૯૩૯

ગરીબી બીજા કોઈ માટે નહિ પણ શુદ્રો માટે સારી છે તેવો બોધ આપવો, ઝાડુવાળાનું કામ બીજા કોઈ માટે નહિં પણ અસ્પૃશ્યો માટે સારું છે તેવો બોધ આપવો અને આ ત્રાસદાયક ફરજને જીવનના સ્વૈચ્છિક હેતુઓ તરીકે તેમની પાસે સ્વીકાર કરાવવો અને તેવું કરાવવામાં તેમની નિષ્ફળતાને વિનંતી કરવી તે આ લાચાર વર્ગનું અપમાન નથી? તેમની ક્રૂર મશ્કરી નથી ? અને આ બધું નિર્ભયતાપૂર્વક અને સ્થિર ચિત્તે બીજું કોઈ નહીં પણ શ્રી ગાંધી જ કરી શકે.